Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : 57 વર્ષીય પુરુષે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • January 09, 2021 

નવસારીનાં જલાપોર વિસ્તારના એરૂ ચાર રસ્તા નજીક રહેતા એક આધેડ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્માહત્યા કરી લીધી હતી.

 

 

જલાલપોર પોલીસને મળતી માહિતી મુજબ એરૂ ચાર રસ્તા નજીક આવેલ સીતારામ નગર ખાતે રહેતો અને જનરલ સ્ટોરનો વેપાર ધરાવતો હર્ષદભાઈ માણેકલાલ પરીખ(ઉ.વ.57)એ બપોરના સમયે દુકાને થી ઘરે આરામ કરવા આવ્યા હતા તે વેળા ઘરના ઉપરના માળે ઓરડામાં પંખા ઉપર ચાદરનો છેડો બાંધી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. હર્ષદભાઈ સાંજ થવા છતાં નીચે ના આવતા તેમના ઘરના સભ્ય ઉપરના માળે જોવા ગયા હતા જ્યાં તેમણી લટકતી લાશ જોતા જ સભ્ય સાથે ઘરના બીજા સભ્ય પણ આવી પહોચતા લાશ જોઈ બધા હેબકાઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application