નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાનાં ખાંભડા ગામના ત્રણ વર્ષીય બાળકે અકસ્માતે ઝેરી પ્રવાહી પી લેતા લાંબી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના ખાંભડા ગામના ખાડી ફળીયા ખાતે રહેતા કેતનભાઈ રમેશભાઈ પટેલ તેમના 3 વર્ષીય પુત્ર જેહાન સાથે તારીખ 14 જુનના રોજ સુરત જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કેતન પટેલને ચીખલી બંધન બેંક પાસે કામ હોય જેથી તેઓ 3 વર્ષીય પુત્રને ગાડીમાં બેસાડી ગયા હતા. તે સમય દરમિયાન પુત્ર જેહાને અકસ્માતે ગાડીમાં મુકેલ પેરકવિટ ડાયહાઇડ્રો ક્લોરાઇડ નામનું ઝેરી પ્રવાહી પી જતા 3 વર્ષીય જેહાન પટેલને પ્રથમ સારવાર અર્થે ચીખલી અને વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં લાંબી સારવાર બાદ જેહાનનુ તારીખ 01 જુલાઈના રોજ સુરતની હોસ્પિટલ ખાતે મોત નિપજતા બનાવની ફરિયાદ સુરત સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને જાણ કરતા ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application