Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદેશ્વર મહાદેવ મંદિર પુરના કારણે પાણીમાં તણાયુ

  • September 01, 2020 

હાલ સમગ્ર રાજ્ય માં ભારે વરસાદ ના કારણે નર્મદા જિલ્લામાં પણ નર્મદા અને કરજણ ડેમ માંથી સતત પાણી છોડાઈ રહ્યું છે જેમાં રવિવારે નર્મદા ડેમ માંથી ૧૧ લાખ ક્યુસેક જેવુ પાણી અને કરજણ ડેમ માંથી પણ ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાયું હોય નદી કાંઠા ના અનેક ગામો અને ખેતરો માં પાણી ભરાઈ ગયું હોય ભારે તારાજી જોવા મળી છે જેમાં ખાસ કરીને

 

ગરુડેશ્વર ના નર્મદા ઘાટ પર આવેલું નર્મદેશ્વર મહાદેવ નું મંદિર ની આસપાસ પાણી નો પ્રવાહ વધતા આ મંદિર પાણીમાં તણાઈ જતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સદનસીબે ત્યાં કોઈ ભક્તો કે પૂજારી ન હતા નહિ તો દુર્ઘટના બની શક્ત, જોકે ભારે વરસાદ એ કુદરતી આફત હોવાના કારણે આ ઘટના બની હોય હવે વરસાદ બાદ તંત્ર આ મંદિર ઉભું કરવા મદદરૂપ થાય તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application