Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : ગોરાથી ઝરવાણી સુધીનાં માર્ગનું નવીનીકરણ કરવાનું હોવાથી આગામી તારીખ 30 જુલાઇ સુધી બંધ રહેશે

  • July 04, 2023 

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતાં પ્રવાસીઓ ઝરવાણી પણ જતાં હોય છે. પણ હાલમાં ગોરાથી ઝરવાણી સુધીનાં માર્ગનું નવીનીકરણ કરવાનું હોવાથી તેને એક મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આગામી તારીખ 30મી જુલાઇ સુધી દ્વિચક્રીય સહિતનાં તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર આ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application