Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળાના ડૉ.દમયંતીબા માત્ર એક રૂપિયામાં કેન્સર નો ઈલાજ કરી દોઢ મહિનામાં 450 પીડિતોનો ઈલાજ કરી ચુક્યા છે.

  • November 25, 2020 

રાજપીપળા માં રહેતા ડો.દમયંતી બા સિંધા અનોખી લોક સેવા કરી રહ્યા છે. તેઓ નેચરોથેરાપી દ્વારા કેન્સર જેવી ઘાતક બીમારી નો ઈલાજ કરે છે અને એ પણ ફક્ત એક રૂપિયા માં અને આ એક રૂપિયો પણ ગાયો ના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગો કરે છે.

 

 

કેન્સરના દર્દીઓ માટે માત્ર એક જ રૂપિયામાં તેઓ દવા આપે છે, અત્યાર સુધીમાં આયુર્વેદિક દવા અને વનસ્પતિ દ્વારા કેટલાય બહેનોને ગર્ભાશયના કેન્સર મટાડી આપ્યા છે.છેલ્લા દોઢ મહિના માં તેમણે 450 જેવા દર્દી ઓનો ઈલાજ કર્યો છે.પાંચ વરસના ભૂલકા થી માંડીને 80 વર્ષની વૃદ્ધા બેનો સ્વસ્થ અને નિરોગી રહે એ માટે ડો.દમયંતીબા રોજ મફત યોગ કલાસીસ ચલાવીને યોગની તાલીમ જાતે આપીને સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે લકવાના દર્દીઓ માટે વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ વાટીને દવા તૈયાર કરી પીવડાવીને લકવા ના દર્દીઓને પણ પથારીવશ હતા તેવાને પણ ઊભા કર્યા છે.(ભરત શાહ  દ્વારા  રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application