Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

  • May 28, 2023 

નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીના અધ્યક્ષ સ્થાને, અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ ડો. દર્શનાબેન દેશમુખ, તથા ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જનહિતના વિકાસ કામોને અગ્રતા આપી નિયત સમયમાં કામો પૂર્ણ કરવા, તથા લોકોના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ લાવવા પ્રજા પ્રતિનિધિઓએ અનુરોધ કર્યો હતો.






બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને ભરૂચના સાંસદ અને ધારાસભ્યઓ દ્વારા, બેઠકમાં રજૂ કરવામાં આવેલા ઉકાઈ સિંચાઇ યોજનાના પીવાના પાણીની સુવિધા, દેડીયાપાડા તાલુકાની સરકારી હાઇસ્કૂલ, સુજલામ સુફ્લામ યોજના, દેડીયાપાડા સરકારી દવાખાનુ, મનરેગા યોજના, સાગબારા તાલુકાના પટલામોહ થી બોરદા સુધીના રસ્તાની કામગીરી, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ હેઠળ આંગણવાડીની અપગ્રેડેશન માટેની કામગીરી, બેંક ઓફ બરોડાની લોન, દ.ગુ.વિ.કં.લી. દ્વારા ખેતીવાડી કનેક્શન, પ્રધાનમંત્રી આવાસ, દેડીયાપાડા તાલુકા કક્ષાની લાયબ્રેરી, સેલંબા બજાર વિસ્તારમાં કાયમી ટ્રાફિક નિવારણ સહિતના રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના પરસ્પર સંકલન, અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાક રચનાત્મક સૂચનો પણ કરાયા હતા.






બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદ ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓએ કરેલી કાર્યવાહી અંગે ઉત્તરો આપ્યા હતા. કામગીરી અંગે સમીક્ષા કરતા જિલ્લાના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે નિવાસી અધિક કલેકટરે કેટલાક રચનાત્મક સૂચનો કરીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લાના વિભાગીય અધિકારોનેઓને સીએમ ડેશબોર્ડ દ્વારા મળતા જનહિતના પ્રશ્નો અંગે સમયમર્યાદામાં ખુલાસો આપી નિકાલ કરવા જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News