Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહનની અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત

  • February 16, 2021 

દેડીયાપાડા તાલુકાનાં પાનુડા ગામમાં નિશાળ ફળિયા ખાતે રહેતા લાલસિંહ હરિસિંહ વસાવા સોનગઢનાં ગૌમુખ મંદિરમાં સેવાપૂજાનું કામ કરતા હતા. પુજારી સવારે પોતાનું બાઈક લઈ ઘરેથી પાનુડા ગામે મંદિર માટે ધૂપ લેવા નીકળ્યા હતા.

 

 

તે સમયે ઉમરપાડા તાલુકાનાં વાડી ગામ નજીક ઝંખવાવ-વાડી સ્ટેટ હાઈવે પર વિમલ સ્ટોન ક્વારીની સામે માર્ગે પર અજાણ્યા વાહન સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બાઈક સાથે લાલસિંહ વસાવા ઘસડાતા હતા અને તેમને માથા તથા ચહેતા પર ગંભીર ઇજા થઈ હતી જેને કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

 

 

આ ઘટના અંગે ઉમરપાડા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application