Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદો ને ભોજનની સેવા અપાઈ

  • February 06, 2021 

રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ઘણા વર્ષોથી જરૂરિયાત મંદો માટે સેવાકાર્યો કરે છે. તેમજ રાજપીપળા શહેરમાં ફરતા લાચાર નિરાધાર ભિક્ષુકોને પણ વર્ષોથી શોધી-શોધીને ભોજન સહિત વસ્ત્રો અને અન્ય જરૂરી વસ્તુઓ આપી માનવતા નું કાર્ય કરે છે.

 

 

ત્યારે હસુમતીબેન કિરીટકુમાર સોની નો જન્મ દિવસ હોય એ નિમિત્તે અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા રાજપીપળાના ઘરડા ઘરમાં રહેતા વડીલો તેમજ અન્ય જરૂરિયાત મંદોને ભોજન આપી ઘરડા ઘરના વડીલો સાથે થોડોક સમય પસાર કરી તેમને હૂંફ પણ આપી હતી.

 

 

આમ, આ સંસ્થાના હોદ્દેદારો વારંવાર દરેક ક્ષેત્રના લોકો માટે સેવાકાર્યો કરતા આવ્યા છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application