Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી છત્રપતિ શિવાજી જયંતિ સાદાઈથી ઉજવાઈ

  • February 20, 2021 

હાલમા ચાલી રહેલી કોરોના મહામારીના કારણે  શિવાજી ભક્તોની સુરક્ષાને ધ્યાનમા રાખી નર્મદા જિલ્લા ટાઇગર ગ્રુપ દ્વારા આ વર્ષે શિવાજી જન્મોત્સવની શોભાયાત્રા સ્થગિત કરવામાં આવી હતી. તેના બદલે ટાઇગર ગ્રુપ, નર્મદા દ્વારા શિવાજી જયંતિની સાદાઇથી ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

ટાઇગર ગ્રુપ નર્મદા જિલ્લાના અધ્યક્ષ પ્રેમભાઈના નિવસ્થાને શ્રી શિવાજી મહારાજના જન્મોત્સવ નિમિતે  છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની આરતી અને પુષ્પાંજલિ દ્વારા ટાઇગર ગ્રુપ નર્મદાના કાર્ય કર્તાઓએ જન્મોત્સવ ઉજવીને ભારતવાસીનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application