Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ત્રિપલ અકસ્માત સર્જાતા 2નાં મોત

  • October 13, 2021 

નર્મદાના તિલકવાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાજપીપળા તરફથી બાઇક પર રાજપીપળા શહેરમાં આવેલી રાજેન્દ્ર નગર સોસાયટીમાં રેહતા મિહિરસિંહ જસવંતસિંહ કઠવાડિયા અને છત્ર વિલાસના ધરમવીરસિંહ વિક્રમ સિંહ સૂર્યવંશી તથા એક્ટિવા પર ઉન્નતિ અરવિંદ સોની અન્ય એક યુવતી સાથે આવી રહ્યા હતા. તે દરમિયાન તિલકવાડાના દેવલીયા નજીક નવાપુરા બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં રોડ બની રહ્યો હોવાથી વન-વે શરૂ કર્યો છે ત્યાં પુરઝડપે આવતી કાર નંબર જીજે/06/એચડી/8365ના ચાલકે એમને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ઉન્નતિ સોની (ઉ.વ.25) તથા ધરમવીરસિંહ વિક્રમસિંહ સૂર્યવંશી (ઉ.વ.25)નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

 

 

 

 

 

જયારે બીજી બાજુ મિહિરસિંહ જસવંતસિંહ કઠવાડિયાને ગંભીર ઇજા ગ્રસ્ત હાલતમાં વડોદરા ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને અન્ય એક યુવતીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે, રાજપીપળા સિવિલ હોસ્પિટલ માંથી યુવતી કોઈને કહ્યા વિના જતી રહી છે એટલે એનું નામ પોલીસ જાણી શકી નથી. પંરતુ પોલીસ યુવતીની શોધખોળ કરી રહી હતી. બનાવ અંગે તિલકવાડા પોલીસે મરનાર યુવક અને યુવતીના મૃતદેહનું પીએએમ માટે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application