Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદ યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષામાં પ્રવેશ માટે ફોર્મ ભરવા એક દિવસ વધારાયો

  • June 18, 2023 

નર્મદ યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષામાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની શનિવારનાં રોજ છેલ્લી તારીખ હતી. પરંતુ વિદ્યાર્થીઓને અનામત કેટેગરીનાં પ્રમાણપત્ર મળ્યા નહીં હોવાથી ફોર્મ ભરવાની મુદતમાં એક દિવસનો વધારો કરીને રવિવાર સુધી કરવામાં આવી છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા ના હતા. તે વિદ્યાર્થીઓ માટે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લા દિવસ હતો. વિદ્યાર્થીઓમાંથી અનામત કેટેગરીનાં પ્રમાણપત્ર મળ્યા નહીં હોવાથી પ્રવેશ ફોર્મ ભરી શક્યા નથી.


આથી તારીખ લંબાવવા માંગ કરાઇ હતી. વિદ્યાર્થીઓની રજુઆતના પગલે નર્મદ યુનિવર્સિટી દ્વારા રવિવારનો એક દિવસ આપ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે અનામત કેટેગરીનું પ્રમાણપત્ર ના હોય તો પણ રસીદ અપલોડ કરવાની રહેશે. આ વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા ફોર્મ સ્વીકારવા પુરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. પ્રવેશ કાર્યવાહી સમયે સંબંધિત અસલ પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application