Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : પત્નીના ચારિત્ર બાબતે ખોટો વહેમ રાખી માથામા કુહાડી મારી પતિએ પત્નીની હત્યા કરી

  • August 08, 2024 

માતર ખ્રિસ્તી સ્મશાન પાસે નગરીમાં રહેતા યુવકે પત્નીના ચારિત્ર બાબતે ખોટો વહેમ રાખી માથામાં કુહાડી મારી પત્નીની હત્યા કરી દીધી હતી. બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, માતર ખ્રિસ્તી લોકોના સ્મશાન પાસે નગરીમાં રહેતા જશુભાઈ વીરસીંગભાઇ દેવીપુજકની દીકરી શીતલબેનના લગ્ન છ વર્ષ અગાઉ પાટણા શાંતિનગર (જી.ભાવનગર) રહેતા રોહિત દલસુખભાઈ સાંથલીયા દેવીપુજક સાથે થયા હતા.


જેને લગ્ન જીવનમાં એક દીકરી સંજના (ઉ.વ.૩) તથા ભોલુ (ઉ.વ.૨) દીકરો હતા. પચીસ એક દિવસથી જમાઈ અને દીકરી માતર સાસરીમાં રહેતા હતા. છેલ્લા ત્રણેક દિવસથી જમાઈ રોહિતભાઈ પત્ની શીતલબેન પર તું ભાયડા કરે છે તેવો ખોટો વહેમ રાખી ઝઘડા કરતો હતો. જમાઈ પત્ની સાથે ઝઘડો કરી રિસાઈને જતો રહેતા તેને તા.૫/૮/૨૪ના બપોરે શોધી લાવ્યા હતા. અને જમાઈ અને દીકરીને તેમના ગામ મોકલવા ગાડીનું ભાડું નક્કી કરતા હતા.


ત્યારે ઘર આગળ બેઠેલી શીતલ સાથે ઝઘડો કરી જમાઈ રોહિતભાઈએ પત્નીને માથામાં કુહાડીના ઊંપરા છાપરી બે ઘા મારતાં શીતલબેન (ઉ.વ.૨૪)નું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આમ વહેમીલા પતિએ પત્નીના ચારિત્ર પર ખોટો વહેમ રાખી કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે મરણ જનાર દીકરીના પિતા જશુભાઈ વીરસીંગભાઈ દેવીપૂજકની ફરિયાદના આધારે માતર પોલીસે રોહિતભાઈ દલસુખભાઈ સાથલીયા દેવીપુજક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News