Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ ખાતે દિકરીનાં અકાળે મોતથી શોકમાં ડૂબેલ માતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • February 12, 2025 

સુરત જિલ્લાનાં કામરેજ ખાતે દિકરીનાં અકાળે મોતથી શોકમાં ડૂબેલી ૩૩ વર્ષીય પરપ્રાંતિય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં શોકની લાગણી ફરી વળી હતી. એક વર્ષે પૂર્વે દીકરીનું હૃદયની બીમારીના કારણે મોત થયા બાદ પરિણીતા સતત તણાવમાં રહેતી હતી. જેને કારણે તેને બીપીની બીમારી લાગુ પડી હતી.


પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કામરેજ ગામે એવન્યુ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-૫૦૪માં રહેતી અને મુળ બિહારનાં પશ્ચિમ ચંપારણ જિલ્લાનાં નૌરંગીયા ગામની ૩૩ વર્ષીય પુનમદેવી સંદેશભાઈ મહોતોની ચાર વર્ષની દિકરી નીશાનું હૃદયની બિમારીનાં પગલે એક વર્ષ પૂર્વે મોત થયું હતું. દિકરીનાં મોત બાદ સતત તણાવમાં રહેતી અને બી.પી.ની બિમારીથી પિડાતી માતાએ અચાનક પોતાનાં ઘરમાં ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ટૂંકાવી લીધો હતો. જોકે એક વર્ષનાં ટૂંકા સમયગાળામાં મહોતો પરીવારમાં દિકરી અને માતાનાં અકાળે મોતથી શોકની કાલીમાં ફરી વળી છે. હાલ સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application