Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટાભાગના છૂટાછેડા માત્ર લવ મેરેજમાં જ થઇ રહ્યા છે :-સુપ્રીમ કોર્ટ

  • May 18, 2023 

સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે છૂટાછેડાના મોટાભાગના કેસ પ્રેમલગ્નોના કિસ્સામાં નોંધાઇ રહ્યા છે. બુધવારે એક કેસની સુનાવણી હાથ ધરતાં જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ સંજય કરોલે આ ટિપ્પણી આપી હતી. પીઠ એક દંપતી સાથે સંકળાયેલા વિવાદ સાથે સંકળાયેલી ટ્રાન્સફર પિટિશન પર સુનાવણી કરી રહી હતી. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે તાકીદે છૂટાછેડા આપવા માટે તે પોતાને મળેલા વિશેષાધિકારનો ઉપયોગ કરી શકે છે.


અરજી પર સુનાવણી હાથ ધરતાં વકીલે જ્યારે કોર્ટને કહ્યું કે કિસ્સો પ્રેમલગ્ન પછીના છૂટાછેડાનો છે. તો જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે, 'મોટાભાગના છૂટાછેડા માત્ર લવ મેરેજમાં જ થઇ રહ્યા છે.' ખાસ વાત એ છે કે કોર્ટે દંપતીને ધ્યાન કરવા સલાહ આપી હતી. પતિ દ્વારા તેનો વિરોધ થયો હતો કોર્ટે એવી સ્પષ્ટતા પણ કરી કે કોર્ટ તેમની અનુમતિ વિના પણ છૂટાછેડાને મંજૂરી આપી શકે છે.3જી મેના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ 142(1) હેઠળ તેને મળેલી વિશેષ સત્તા હેઠળ તત્કાલ છૂટાછેડાને મંજૂરી આપી શકે છે. જોકે કોર્ટે સ્પષ્ટતા કરી કે એવું ત્યારે જ થઇ શકે છે કે જ્યારે સ્પષ્ટ થઇ જાય કે લગ્નને બચાવવાનો કોઇ રસ્તો બચ્યો નથી. વિશેષ અધિકારનો ઉપયોગ કરવા કોર્ટે તે સાથે જ અન્ય મુદ્દાઓ પર વિચારણા કરવી પડે છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટને જ્યારે પૂરેપૂરો ભરોસો બેસી જાય કે લગ્ન એકદમ અવ્યવહારિક, ભાવનાત્મક રૂપે મૃત અને બચવાલાયક નથી અને લગ્નસંબંધનો અંત લાવવો તે જ સમાધાન છે, ત્યારે જ વિશેષ સત્તાનો ઉપયોગ થઇ શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News