Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં યોજાયેલ 'ફ્લાવર શો'ની છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

  • January 08, 2024 

અમદાવાદમાં યોજાઇ રહેલા 'ફ્લાવર શો' જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઇ ચૂક્યા છે અને તેનાથી અંદાજે રૂપિયા 3 કરોડથી વધુની આવક થયેલી છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે તારીખ 30 ડિસેમ્બરથી ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો. જયારે સોમવારથી શુક્રવાર સરેરાશ 35 હજાર જ્યારે શનિવાર-રવિવારનાં સરેરાશ 70 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. જેમાં તારીખ 7 જાન્યુઆરીના રવિવારે સાંજ સુધી 85 હજારથી વધુ ટિકિટ વેચાઇ ચૂકી હતી.



હજુ રાત સુધીમાં ટિકિટ વેચાણનો આ આંક 1 લાખ થઇ જાય તેવી સંભાવના છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીના થશે. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ચાલતો ફ્લાવર શો ખાસ્સો લોકપ્રિય બનતો રહ્યો છે. કોઈપણ પ્રકારની ઝાઝી પબ્લિસિટી વગર પણ અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ એમાં રજૂ થઈ રહેલી બાબતો છે અને એથી જ મુખોમુખ પ્રચાર-અર્થાત્ માઉથ પબ્લિસિટી થઈ રહી છે. લોકો ટિકિટ ખરીદવા લાંબી લાઈનો લગાવે છે અને ફ્લાવર શો નિરાંતે માણે છે. જે વસ્તુ સારી રીતે રજૂ થાય તો લોકો પૈસા ખર્ચીને પણ જાણવા-માણવા જાય છે તે બાબતની પ્રતિતિ આ શોથી થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News