Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

200થી વધારે પૂર્વ સાંસદોને લુટયન્સ દિલ્હીમાં આવેલ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે

  • July 17, 2024 

200થી વધારે પૂર્વ સાંસદોને લુટયન્સ દિલ્હીમાં આવેલ પોતાના સરકારી બંગલા ખાલી કરવા પડશે. કેટલાક પૂર્વ સાંસદોએ અત્યાર સુધી પોતાના બંગલા ખાલી કર્યા નથી. જયારે સ્મૃતિ ઇરાની સહિત ચારથી વધારે પૂર્વ કેન્દ્રીય પ્રધાનોએ લુટિયન્સ દિલ્હીમાં પોતાનો સરકારી બંગલા ખાલી કરી દીધા છે.


કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોનાં મંત્રાલયનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ બંગલો ખાલી ન કરનારા સાંસદોને નોટીસ જારી કરવામાં આવી છે. નિયમ અનુસાર પૂર્વ સાંસદોને લોકસભા ભંગ થવાના એક મહિનાની અંદર પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો રહેશે. જો પૂર્વ સાંસદો સરકારી બંગલો ખાલી કરતા નથી તો બળપૂર્વક આ બંગલો ખાલી કરાવવા અધિકારીઓની ટીમ મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા સચિવાલય સાંસદોને મકાન ઉપલબ્ધ કરાવે છે. જ્યારે હાઉસિંગ અને શહેરી કાર્ય મંત્રાલય કેન્દ્રીય પ્રધાનોને લુટયન્સ દિલ્હીમાં બંગલાની ફાળવણી કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના પ્રધાન મનોહર લાલને 83 લોધી એસ્ટેટ બંગલો ફાળવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application