Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદ યુનિવર્સિટીનાં 300થી વધુ કોલેજોનાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓની આગામી તારીખ 18 માર્ચથી પરીક્ષાઓ આપશે

  • February 21, 2023 

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન 300થી વધુ કોલેજોમાં First Yearથી લઇને પી.જી.માં અભ્યાસ કરતા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓની આગામી 18મી માર્ચથી તબક્કાવાર રેગ્યુલર અને એટીકેટીની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા કોરોનાકાળ બાદ આગામી માર્ચ મહિનામાં રેગ્યુલર પરીક્ષાનું શિડયુલ જાહેર કર્યુ છે. આ શિડયુલ મુજબ 18મી માર્ચથી એટીકેટીના બી.કોમ સેમેસ્ટર એક અને પાંચની 18 મી માર્ચથી બી.કોમ સેમેસ્ટર બે અને છ ની એટીકેટીની ત્રણ એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. એજ રીતે બી.એસ.સી. સેમેસ્ટર એક અને પાંચની પહેલી એપ્રિલથી શરૂ થઇ રહી છે.







આમ, એટીકેટી અને રેગ્યુલર બંનેની પરીક્ષાઓ 18 માર્ચથી શરૂ થઇને છેક એપ્રિલ સુધી લેવાશે. આ પરીક્ષાઓ આપતા પહેલા વિદ્યાર્થીઓએ સેન્ટર પર 15 મિનિટ પહેલા પહોંચવુ પડશે. પરીક્ષા ખંડમાં મોબાઇલ ફોન, પુસ્તક લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે અને કોઇ વિદ્યાર્થી પકડાશે તો રૂપિયા 500/-ની પેનલ્ટી સાથે શૂન્ય માર્કસ મુકવામાં આવશે. કોરોનાકાળમાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન એમસીકયુ બેઇઝ પરીક્ષા લેવાઇ હોવાથી વિદ્યાર્થીઓ ફટાફટ જવાબો ટીક કરવાના હોવાથી સરળતાથી આપી શકતા હતા અને આ એમસીકયુના કારણે પરિણામ પણ સારું આવતુ હતુ. પરંતુ જેવી ઓફલાઇન પરીક્ષાઓ શરૂ થઇ અને વિદ્યાર્થીઓ ઉતરવહીમાં પેપર લખવાની શરૂ કર્યુ કે વિદ્યાર્થીઓને લખવામાં તકલીફો પડી હતી અને જે એમસીકયુમાં પરિણામ આવ્યુ હતુ. તેવુ પરિણામ ઓફલાઇન પરીક્ષામાં આવ્યુ ના હતુ. આથી જયારે માર્ચમાં પણ ઓફલાઇન પરીક્ષા લેવાશે ત્યારે વિદ્યાર્થીઓની ઉતરવહીઓમાં પેપર લખવામાં કસોટી થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News