Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'વિશ્વ આદિવાસી દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ અંગે સ્થળ નિરીક્ષણ કરતા આદિજાતી રાજ્યમંત્રી

  • August 08, 2023 

આગામી ૯મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે થનાર છે. જેથી મુખ્યમંત્રીશ્રીનાં આગમનની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે તાજેતરમા ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ગુણાસદા ખાતે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સલાહ સૂચનો સંબંધિત વિભાગોને આપ્યા હતાં. આ વિઝીટ દરમિયાન મંત્રીશ્રીએ ગુણસદા ખાતેના મુખ્ય કાર્યક્રમનાં સભાસ્થળ, 'મારી માટી મારો દેશ' રાજ્યવ્યાપી કાર્યક્રમ માટે આશ્રમશાળા ખાતે, અને ભોજનની વ્યવસ્થાઓ અંગે જરૂરી સ્થળ નિરીક્ષણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application