Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ની ન્યુ ગુજરાત પેટર્ન યોજનાનાં રૂપિયા ૧૧૪૯.૪૪નાં ખર્ચે હાથ ધરાનારા ૨૬૫ કામોને મંજૂરીની મહોર મારતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી

  • March 31, 2023 

ડાંગ જિલ્લાના કોઈ પણ પ્રશ્ન બાબતે જિલ્લાના અધિકારી/પદાધિકારીઓ પરસ્પર સંકલન અને સહયોગ સાથે, પ્રથમ પ્રભારી મંત્રી કક્ષાએ ધ્યાન દોરે તે આવશ્યક છે તેમ જણાવતા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ સ્પસ્ટપણે જણાવ્યુ હતું. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં સને ૨૦૨૩/૨૪ની ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની રૂ.૯૪૫.૨૪ની સંભવિત જોગવાઈ સામે, રૂ.૧૧૪૯.૪૪ના ખર્ચે હાથ ધરાનારા ૨૬૫ કામોના કુલ આયોજનને મંજૂરીની મહોર મારતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ, સને ૨૦૨૧/૨૨ અને ૨૦૨૨/૨૩ ના મંજૂર થયેલા કામો પૈકી, શરૂ ન થઈ શકેલા કે પ્રગતિ હેઠળના કામોની ભૌતિક અને નાણાકીય સિદ્ધિની સમીક્ષા પણ હાથ ધરી હતી. તેમણે ગત બેઠકની કાર્યવાહી નોંધને પણ આ વેળા બહાલી આપી હતી.





આગામી દિવાળી પહેલા જ નવા મંજૂર થયેલા કામો પૂર્ણ કરી પ્રજાર્પણ કરવાની હિમાયત કરતાં પ્રભારી મંત્રીશ્રીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ જ ઉદારભાવ રાખી, ડાંગ જેવા વિશિસ્ટ ભૌગૌલિક પરિસ્થિતી ધરાવતા જિલ્લાના ખેડૂતો માટે, બોર સાથે સોલારની સુવિધા આપવાની તત્પરતા દર્શાવી છે, ત્યારે ખેડૂતો ખેતીક્ષેત્રે વધુ ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને તેવા રાજ્ય સરકારના ઉદ્દેશને ધ્યાને લઈને, આયોજન/ફેર દરખાસ્ત કરવાની પણ સૂચના આપી હતી. અમલીકરણ અધિકારીઓને કોઈ પણ યોજના કે લાભાર્થીઓનું ડુપ્લિકેશન ન થાય તેની તકેદારી દાખવવાની સૂચના આપતા મંત્રીશ્રીએ, સૌ અધિકારી/પદાધિકારીઓને બિન વિવાદાસ્પદ રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી.






વિકાસ કામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કે શુભારંભ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓની સૂચક હાજરી જરૂરી છે તેમ જણાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે, વિકાસ કામોમાં અવરોધ સર્જતા સ્થાનિક પ્રશ્ને, પદાધિકારીઓનું ધ્યાન દોરવાની પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીતે પણ, સ્થાનિક પ્રશ્ને જિલ્લાના પદાધિકારીઓ સાથે પરામર્શ કરવાથી ઘણા પ્રશ્નોનું નિરાકરણ મળી શકે, તેવો મત વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પદાધિકારીઓએ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકશાનનો રિસર્વે કરવાની પણ હિમાયત કરી હતી. બેઠક સમિતિ સભ્યો સર્વશ્રી દશરથભાઈ પાવર, ગોવિંદભાઇ પટેલે પણ ઉપસ્થિત રહી પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર વતી નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવીતે પ્રભારી મંત્રીશ્રી તરફથી મળેલ સૂચના મુજબ, જિલ્લાના સૌ અમલીકરણ અધિકારીઓએ કાર્યવાહી પૂર્ણ કરશે તેવી બાંહેધરી આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application