Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પર્યાવરણની જાળવણી અને જમીનનું ધોવાણ રોકવા ઓલપાડનાં દાંડી ગામે મેન્ગ્રોવના વૃક્ષોનું વાવેતર કરતા ગૃહ રાજ્યમંત્રી

  • June 05, 2023 

માહિતી વિભાગ દ્વારા સુરત, આજરોજ તારીખ ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્સ (MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેનુ જીવત પ્રસારણ કરાયું હતું. જે અંતર્ગત સમગ્ર રાજયની ૨૫ સાઇટ્સ સહિત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દાંડી ગામે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ મેન્ગ્રોવ(ચેર)નું વાવેતર કરી પ્રારંભ કરાવ્યો હતો. દાંડીના હનુમાન મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં મંત્રીશ્રી સંધવીએ જણાવ્યું હતું કે, પર્યાવરણના જતનમાં મેન્ગ્રોવ(ચેર)ની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.


દરિયાકાંઠાના ધોવાણ અટકાવવા માટે મેન્ગોવએ કલ્પ વૃક્ષ છે. ચેરના વાવેતરથી દરિયાઈ જીવોને ખોરાક મળી રહે છે તેમ જણાવીને આજે બે હેકટર વિસ્તારમાં મેન્ગોઝના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે જે આગામી એક વર્ષ દરમિયાન સુરત વન વિભાગ દ્વારા ૨૦૦ હેકટરમાં ૨ લાખના મેન્ગ્રોવના વૃક્ષોનુ વાવેતર કરીને દરિયાકાંઠાના વિસ્તારોને નવપલ્લિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે મેન્ગ્રેવના વાવેતર માટેના કાર્યક્રમ MISHTIની શરુઆત કરી છે.


દરિયાઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રોવ(ચેર) અગત્યનો સ્ત્રોત છે. દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રેવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાંપને ૨ અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રોવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે. જેમાંથી ઉત્પન્ન થતો સેન્દ્રિય-બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે.


મેગ્રોવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ સહિત સ્થાનિક હવામાન સુધારે છે. આ અવસરે સૂરતના નાયબ વન સંરક્ષક અનંતકુમારે જણાવ્યું હતું કે, સુરત વન વિભાગ અને ગુજરાત ઈકોલોજીકલ કમિશન સાથે મળીને મિષ્ટી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. ભારતનો સૌથી મોટો દરીયાકિનારો ગુજરાતમાં આવેલ છે જેમાં ૧૧૦૩ સ્કવેર કિ.મી. વિસ્તારમાં મેન્ગુઝના વૃક્ષો આવેલા છે. સુરત જિલ્લામાં ૪૩.૬૩ સ્કવેર કિ. મીટરમાં મેન્ગ્રોવ આવેલા છે.


ઓલપાડના દાંડી, કડિયાબેટ, કરંજ અને છીણી ગામના દરિયા કિનારા વિસ્તારમાં મેન્ગ્રોવનુ વાવેતર કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. વાંસ સુધારણા યોજના હેઠળ વાંસના ઉત્પાદનમાંથી વનસમિતિઓને ચેકનુ વિતરણ કરાયુ હતું. જેમાં રખસડી ગામને રૂા.૮.૩૬ લાખ, ધાણાવડને રૂ.૮.૦૩ લાખ, મહુડીને રૂા.૨.૫૨ લાખ, બોરીયાને રૂ.૨.૪૪ લાખ, અમરકુઈને રૂ.૧.૫૪ લાખ, માંડણ ઉમલ્લાને રૂ.૧.૫૧ લાખ, દિવતણને રૂા.૧.૩૩ લાખ મળી કુલ સાત ગામની વનસમિતિઓને રૂા.૨૫.૭૪ લાખના ચેકોનુ મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરાયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News