Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાના ૧૯ આશ્રયસ્થાનોમાં સ્થળાંતર થયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ

  • May 17, 2021 

નવસારી જિલ્લામાં સંભવિત વાવાઝોડાથી નુકસાની ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે દરિયાકાંઠાના વિસ્તારો, નીચાણવાળા વિસ્તારોના ૧૧૧૪  લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

 

 

 

 

જિલ્લાના સ્થળાંતરિત લોકો માટે તમામ ૧૯ આશ્રયસ્થાનો પર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.  જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આશ્રીતોને સારૂ, શુધ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં છે. આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન માંગરોળ ખાતે સરકારી ઉચ્ચતરીય માધ્યમિક શાળા,પ્રાથમિક શાળા, માછીવાડ દીવાદાંડી તથા ઉભરાટની મુલાકાત લીધી હતી.આશ્રયસ્થાનોમાં રહેલા લોકો સાથે મંત્રી ઇશ્વરભાઇ પરમારે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેઓને કોઇ મુશ્કેલી કે તકલીફ અંગે પૃચ્છા કરી હતી.

 

 

 

 

આશ્રયસ્થાનમાં રહેલા લોકોએ મંત્રીશ્રીનો તથા સરકારશ્રીનો આભાર માન્યો હતો. લોકોનું કહેવું હતું કે અહિં રહેવાની, જમવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અહિં અમોને કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી. મંત્રી ઇશ્વરભાઇ પરમાર સાથે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાંત અધિકારીશ્રી તુષાર જાની સહિતના અધિકારીશ્રીઓ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application