Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આવ્યા મોટો સમાચાર : આંદોલન કરી રહેલ કાર્યકર્તા મનોજ પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી

  • January 27, 2024 

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈને એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગેએ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી. મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માંગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.'



મરાઠા અનામતના આંદોલન પર મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું, 'મહારાષ્ટ્રમાં મનોજ જરાંગે પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાય માટેના અનામતને લઈને ચાલી રહેલું આંદોલન ઉકેલ પર પહોંચી ગયું છે. આજે પસાર થયેલા વટહુકમમાં તમામ સમસ્યાઓનો ઉકેલ છે.' આ ઉપરાંત મંગલ પ્રભાતે વધુમાં કહ્યું હતું કે, 'મનોજ જરાંગેએ જાહેરાત કરી છે કે ઉકેલ આવી ગયો હોવાથી આંદોલન ચાલુ રાખવાની જરૂર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગેના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા. જોકે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે હવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application