Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માનસિક રીતે અસ્વસ્થ યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત

  • December 14, 2021 

માણસા શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આવેલા મલાવ તળાવમાં સાંજે એક માનસિક રીતે અસ્વસ્થ યુવકનું ડૂબી જવાથી મોત થયું હતું તો તળાવમાં કોઈ ડૂબી રહ્યું હોવાની જાણ માણસા ફાયરબ્રિગેડને કરવામાં આવતા તેમણે તાત્કાલીક ઘટના સ્થળે આવી મૃતદેહને બહાર લાવી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માણસા શહેરમાં પાંજરાપોળ વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા અરૃણભાઇ મોવડીયાનો પુત્ર ચિરાગભાઈ (ઉ.વ.30) જે માનસિક રીતે અસ્વસ્થ હોઇ કોઈ કામ ધંધો કરતો ન હતો અને માતા-પિતાની સાથે જ રહેતો હતો.જોકે ગતરોજ સાંજે આ યુવક પોતાના ઘરેથી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ તે સિવિલ હોસ્પિટલ પાસે આવેલા મલાવ તળાવ પાસે ગયો હતો અને ત્યા ગયા બાદ કોઈ કારણોસર તે તળાવના અંદર ડૂબવા લાગતા અહીંથી પસાર થતા લોકોએ કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યો હોવાની જાણ માણસા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી તળાવમાં ડૂબી ગયેલા ચિરાગના મૃતદેહને બહાર લાવી માણસા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ મૃતક યુવકના પરિવારજનોને થતા તેઓ પણ તળાવ કિનારે આવી પહોંચ્યા હતા અને મૃતકની ઓળખ બાદ માણસા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application