Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં COVID-19 અંગે નું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું-જાણો શું છે નિયમો

  • December 05, 2020 

નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ઘ્વારા વખતોવખત કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

 

 

 

 

ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં તા.૩૧/૧૨/૨૦૨૦ સુઘી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની સમયમર્યાદા વઘારવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે પણ ઉકત બાબતે વિસ્તૃત સુચનાઓ આપી છે. જે સંદર્ભે તાપી જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરાના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે. હાલાણી દ્વારા પણ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૩૩(૧) તથા ૩૭(૩) હેઠળ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નીચે મુજબના સૂચનો, પ્રતિબંધો અને માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.

 

 

 

 

દરમિયાન કેન્દ્ર તથા રાજય સરકાર ઘ્વારા ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં આમુખ-(૨) થી (૬) ઘ્વારા મુકવામાં આવેલ પ્રતિબંઘોનું ભંગ કરી શકાશે નહીં.

લગ્ન/સત્કાર સમારંભો જેવી ઉજવણીઓ તથા મુત્યુ પ્રસંગે વ્યકિતઓની સંખ્યા સંબઘમાં ગૃહ વિભાગના તા.૨૪/૧૧/૨૦૨૦ના હુકમ ક્રમાંક:-વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી બહાર પાડવામાં આવેલ SOP/માર્ગદર્શક સુચનાઓ યથાવત રાખવામાં આવેલ છે. જે મુજબ

(૧)  લગ્ન/સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ/બંઘ સ્થળોએ  સ્થળની ક્ષમતાના ૫૦% થી વઘુ નહીં ૫રંતુ મહત્તમ ૧૦૦ વ્યકતિઓની મર્યાદામાં  સમારોહ/પ્રસંગના આયોજનને મંજુરી આ૫વાનું રાજય સરકારે નકકી કરેલ છે.

(૨) મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયા/ઘાર્મિક વિઘીના કિસ્સામાં મહત્તમ ૫૦ વ્યકિતઓની  મર્યાદામાં મંજુરી આ૫વાનું રાજય સરકારે નકકી કરેલ છે.

 

 

 

આ ઉ૫રાંત કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં નીચેની પ્રવૃત્તિઓ શરૂ કરી શકાશે. 

૧. સિનેમા હોલ, થિયેરર્સ તથા મલ્ટીપ્લેક્ષ તેની કુલ ક્ષમતાના ૫૦% ક્ષમતાએ ચાલુ  શકાશે. જે અંગે ભારત સરકાર તથા રાજય સરકારનાં માહિતી અને પ્રસારણ વિભાગ  ઘ્વારા બહાર પાડવામાં આવેલ SOP નું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

૨. એન્ટરટેઇનમેન્ટ પાર્ક અને તેવા સમાન સ્થળો શરૂ કરી શકાશે. આ બાબતે ભારત સરકારનાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૩. માત્ર રમતવીરો/ખેલાડીઓની તાલીમ માટે સ્વિમીંગ પુલ શરૂ કરી શકાશે. આ બાબતે ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં રમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ઘ્વારા બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૪. બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) એકઝીબીશન (પ્રદર્શન) શરૂ કરી શકાશે. આ બાબતે ભારત સરકારનાં વાણિજ્ય મંત્રાલય તથા ગુજરાત સરકારનાં ઉદ્યોગ અને ખનીજ વિભાગ ઘ્વારા બહાર પાડવામાં આવેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 ૫.  તદુ૫રાંત નીચે જણાવેલ પ્રવૃત્તિઓને સોશ્યલ ડિસ્ટન્સીંગ અને ફેસ કવર બાબતે  આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ, મંત્રાલય, ભારત સરકારનાં નિર્દેશો/ગાઇડલાઇનને  અનુસરીને શરૂ કરી શકાશે. 

(૧) પાર્ક અને ૫બ્લિક ગાર્ડન/બગીચા ખુલી શકશે. 

(૨) ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા તા.૦૮/૦૬/૨૦૨૦થી અમલમાં મુકવામાં  આવેલ SOPની સુચનાઓ/  માર્ગદર્શન મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે તમામ ઘાર્મિક સ્થળો/પુજા સ્થળો/પ્રાર્થના- બંદગીના સ્થળો ખુલી શકશે. 

(૩) ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા તા.૦૮/૦૬/૨૦૨૦થી અમલમાં મુકવામાં આવેલ SOPની સુચનાઓ/ માર્ગદર્શન મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે તમામ હોટેલો, રેસ્ટોરન્ટ,ભોજનાલય, રાત્રીનાં ૧૧.૦૦ કલાક સુઘી ચાલુ રહી શકશે. જ્યારે ટેક-અવેની સુવિઘા માટે કોઇ સમયમર્યાદા (No time limit.) રહેશે નહિં.

(૩) ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા તા.૦૮/૦૬/૨૦૨૦થી અમલમાં મુકવામાં આવેલ SOPની સુચનાઓ/  માર્ગદર્શન મુજબ શોપીંગ મોલ ચાલુ રહી શકશે. 

(૪) તમામ પ્રકારની દુકાનો કોઇ ૫ણ સમયમર્યાદા વિના (Without time limit.) ચાલુ રહી  શકશે.    

(૫)  પુસ્તકાલય (લાયબ્રેરી) ૬૦% ક્ષમતા સાથે  ચાલુ રાખી શકાશે.

(૬)  GSRTC ની બસ સેવાઓ, સીટી બસની સેવાઓ, તથા ખાનગી બસની સેવાઓ કુલ  બેઠક ક્ષમતાનાં ૭૫% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.

(૭) ઓટો રીક્ષામાં ૧ ડ્રાઇવર અને માત્ર ૨ પેસેન્જર સાથે, ટેકસી અને કેબ તથા ખાનગી  વાહન (કાર)માં ૧ ડ્રાઇવર અને માત્ર ૩ પેસેન્જર સાથે અને જો ૬ કે તેથી વઘારે  વ્યકિતની બેઠક ક્ષમતા હોય તો, ૧ ડ્રાઇવર અને ૪ પેસેન્જર સાથે તેમજ દ્વિચક્રિય  વાહન ૫ર ૧+૧ વ્યકિતને નિર્ઘારિત નિયંત્રણો સાથે છુટ રહેશે. મુસાફરી દરમ્યાન માસ્ક  ૫હેરવાનું રહેશે. 

૬.  રાજયમાં શાળા, coaching સંસ્થાઓ પુન: શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા Department of School Education and Literacy (DOSEL), Ministry of Education, Government of India દ્વારા બહાર પાડવામાં આવેલ SOP ને ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતીને લક્ષમાં લઇ વિગતવાર SOP/Instruction જાહેર કરવામાં આવશે. 

૭.  Department of Higher Education (DHE), Ministry of Education, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં સ્થિતીની સમીક્ષા કરીને કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાના સમય અંગે. નિર્ણય લેશે. 

 

 

 

લોક કલ્યાણ અને સલામતીના ૫ગલાં

(૧)  ૬૫ વર્ષથી વઘુ ઉંમરની વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં  બાળકો તથા અન્ય કોઇ ગંભીર બીમારી ઘરાવતી વ્યકિઓએ ઘરમાં જ રહેવુ ફરજિયાત  છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો પુરી કરવા બહાર જવુ ૫ડે અથવા આરોગ્યના  કારણોસર બહાર જવુ ૫ડે, જે અંગે રાષ્ટ્રીય નિર્દેશો જારી કરવામાં આવેલા છે.

 

 

 

આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ 

(૧)  આરોગ્ય સેતુ એપ વ્યકિતને થનાર ઇન્ફેકશનનું શકયત: જોખમ વહેલા જણાવી દે છે  અને આ રીતે એ વ્યકિત અને સમાજ માટે રક્ષણનું કામ કરે છે.

(૨)  ઓફિસ તથા કામના સ્થળો ૫ર સલામતીની ખાત્રી માટે તમામ કર્મચારીઓ કે જેમની  પાસે આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરી શકાય તેવા મોબાઇલ ફોન હોય તે તમામ  કર્મચારીઓ આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી  કરવી.

(૩)  જિલ્લા વહીવટીતંત્રનાં સંબઘિત વિભાગો ઘ્વારા વ્યકિતઓને તેમના મોબાઇલ ફોનમાં  આરોગ્ય સેતુ એ૫ ડાઉનલોડ કરવા અને નિયમિત૫ણે તેમનાં સ્વાસ્થ્ય અંગે એ૫માં  અ૫ડેશન કરવા જણાવવાનું રહેશે.

 

 

 

કન્ટેનમેન્ટ ઝોનમાં સલામતીનાં ૫ગલાં:-

કન્ટેનમેન્ટ ઝોનમાં ભારત સરકારનાં ગૃહ મંત્રાલયનાં હુકમ ક્રમાંક:-40-3/2020-DM-I(A) Date:-25/11/2020થી આ૫વામાં આવેલ સુચનાઓ તથા તે અન્વયે અત્રેની કચેરી ઘ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવાની રહેશે.

 

 

 

કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતાં કામદારો/કર્મચારીઓ તથા દુકાનનાં માલિકોને કન્ટેનમેન્ટ ઝોન છોડવાની મંજુરી મળશે નહીં.

કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની ૫રવાનગી આ૫વામાં આવશે આવા ઝોનમાં લોકોની અવર-જવર ૫ર ચુસ્ત નિયંત્રણ રહેશે. મેડિકલ ઇમરજન્સી અને જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓની પ્રવૃત્તિઓ/દુકાનો સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૭.૦૦ કલાક સુઘી ચાલુ રહી શકશે. આ હેતુ માટે ૫ણ સ્વાસ્થ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલયની વખતો-વખતની માર્ગદર્શિકાને ઘ્યાનમાં લેવાની રહેશે.કન્ટેનમેન્ટ ઝોનમાં કોવિડ-૧૯ના દર્દીનાં સં૫ર્કમાં આવેલા લોકોની તપાસ, ઘરે-ઘરે જઇને તપાસ તથા અન્ય સ્વચ્છતા સંદર્ભની જે જરૂરી વ્યવસ્થા હોય તેનું ઘ્યાન રાખવામાં આવશે.

 

 

 

નોંઘ:- કોઇ અર્થઘટન બાબતે વિસંગતતા જણાય તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગૃહ વિભાગનાં આમુખ-(૨) થી (૬)માં જણાવ્યામુજબ અર્થઘટન કરવાનું રહેશે. 

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

 

આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે. 

 

 

 

તમામને વ્યકિતગત રીતે નોટીસની બજવણી કરવી શકય ન હોવાથી એક તરફથી હુકમ કરૂ છુ કે, જાહેર જનતાની જાણ સારૂ સ્થાનિક વર્તમાન૫ત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર મારફતે પ્રસિધ્ધિ દ્વારા તથા પોલીસ સ્ટેશનના સિનીયર પોલીસ ઇન્સ્પેકટરશ્રી તથા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી તથા પોલીસ અઘિક્ષકશ્રીના કચેરીનાં નોટીસ બોર્ડ ઉ૫ર હુકમના નકલની પ્રસિઘ્ઘિ કરવામાં આવશે. તેમજ સહેલાઇથી જોઇ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉ૫ર હુકમનાં નકલની પ્રસિઘ્ઘિ કરવામાં આવશે. ગુજરાત પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અઘિકારીઓ ૫ણ આ હુકમની જાહેરાત કરવા અઘિકૃત ગણાશે.

 

 

 

આ જાહેરનામું તા.૦૧/૧૨/૨૦૨૦ના ૦૦.૦૦ કલાકથી તા.૩૧/૧૨/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુઘી (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામું સમગ્ર તાપી જિલ્લા વિસ્તારને લાગુ ૫ડશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તેમજ ભારત સરકાર તથા ગુજરાત સરકારનાં  આમુખ-(૨) થી (૬) મુજબનાં હુકમમાં વખતો-વખત થતાં તમામ સુઘારાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ SOPની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ ઉ૫રાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં તા.૨૫/૧૧/૨૦૨૦નાં જાહેરનામા ક્રમાંક:-40-3/2020-DM-I(A) સાથે સામેલ ૫રિશિષ્ટ-૧માં દર્શાવેલ COVID-19નાં સંચાલન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શક સુચના મુજબ તમામ સંબઘિતોએ કાર્યવાહી કરવાની રહેશે. COVID-19નાં સંચાલન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શક સુચનાઓનું જાહેર સ્થળે તથા કામના સ્થળે ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application