નવસારીનાં માણેકલાલ રોડ પર રહેતા એક યુવકે કોરોના બાદ જમીન-મકાન દલાલીનો ધંધો નહીં ચાલતા અને ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય મંગળવારે દાંડીનાં દરિયા કિનારે જઈ ફીનાઇલ ગટગટાવી લીધું હતું. જોકે જ્યાં ફરજ બજાવતા હોમગાર્ડનાં જવાનોએ પ્રાથમિક સારવાર આપી યુવકને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. મળતી માહિતી મુજબ, નવસારીનાં માણેકલાલ રોડ પાસે રહેતા પ્રજાપતિ યુવક બપોરે પોતાની બાઇક પર દાંડી દરિયા કિનારે ગયો ત્યાં કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.
જેથી ચક્કર આવતા આ વાતની નવસારીમાં રહેતા મિત્રોને ટેલિફોનથી જાણ કરી હતી. તેઓ આવે તે પહેલાં દાંડીના દરિયા કિનારે ફરજ બજાવતા હોમગાર્ડના જવાનોએ આ યુવાનને પ્રાથમિક સારવાર આપી તેમને ભયમુક્ત કરી દાંડી આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર માટે મોકલાયા હતા. સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ યુવાને વ્યાજખોરના ત્રાસથી આ પગલું ભર્યાની ચર્ચા પણ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application