Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના જેસીંગપુરા ગામે ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે શખ્સને ધમકી આપી

  • February 07, 2025 

વ્યારાના જેસીંગપુરા ગામના અનસૂયા પેટ્રોલપંપની સામે ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે શખ્સને તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી ત્રણ ઈસમોએ આપી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વ્યારા તાલુકાના જેસીંગપુરા અનસૂયા પેટ્રોલપંપની સામે મુસ્તાકઅલી હસનખાન આલીસર (ઉ.વ.૨૦)ના તબેલા ઉપર વિશાલભાઈ જયેશચંદ્ર શાહ (રહે.રામજી મંદિર સામે, બુહારી, વાલોડ), સૂરજ રજનીકાંતભાઈ સોની (રહે.તળાવ ફળિયું, બુહારી) અને સુજ રજનીકાંતભાઈ રાણા (રહે.ગોલવાડ, કાનપુરા, વ્યારા) ગયા હતા. જેઓ ઉપર મુસ્તાકઅલીના પિતા હસનખાન રમઝાનખાન આલીસર તથા માસીના છોકરા નઝામ ચનેસર આલીસરએ ગત દિવસોમાં વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા ગુનો નોંધાયો હતો જેથી ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકાવી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application