સુરતનાં કામરેજનાં નવીપારડી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા ઇસમને અડફેટે લેતા તેનું ગંભીર ઈજાથી મોત નીપજયું હતું. મળતી માહિતી મુજબ, સત્યવીર મહેન્દ્રસિંગ (ઉ.વ.૪૧,રહે. તાર્ડેદેવ મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર) કામરેજના નવીપારડી ગામની સીમમાંથી પસાર થતા મુંબઇથી અમદાવાદથી જતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર બેંક ઓફ બરોડાની સામેનો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ અજાણ્યો વાહન ચાલક સત્યવીરને અડફેટે લઇ ફરાર થઈ ગયો હતો. સત્યવીરને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે કસૂરવાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application