ગાંધીનગર શહેર નજીક આવેલા ન્યુ વાવોલમાં આંગન રેસીડેન્સી ખાતે રહેતા વકીલના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૯.૬૧ લાખ રૂપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગત ૨૫ ડિસેમ્બરે તેમની માતા બે બાળકો સાથે અમદાવાદ રખિયાલ ખાતે રહેતા બેનના ઘરે ગયા હતા અને બીજા દિવસે એટલે કે ૨૬મીએ મોસીનભાઈ પણ ઘરને તાળું મારીને બહેનના ઘરે ગયા હતા.
બીજા દિવસે તેઓ કુડાસણ ખાતે તેમના બીજા મકાને હાજર હતા તે દરમિયાન પાડોશમાં રહેતા મહિલા દ્વારા તેમની માતાને જાણ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે તમારા બંધ ઘરના દરવાજાની લોખંડની જાળી ખુલ્લી છે જેથી મોહસીનભાઈ તુરંત જ ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાના ઇન્ટરલોક તૂટેલી હાલતમાં હતું તેમજ ઘરમાં સામાન પણ વેર વિખેર હાલતમાં હતો ત્યારે કબાટમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૯.૬૧ લાખ રૂપિયાની મત્તા ચોરાઈ હોવાના બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application