Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મલયાલમ ફિલ્મ નિર્માતા પી.વી.ગંગાધરનનું આજરોજ નિધન થયું

  • October 13, 2023 

મલયાલમ ફિલ્મ નિર્માતા પી.વી.ગંગાધરનનું આજરોજ નિધન થયું છે. જયારે વય સંબંધિત બીમારીઓને કારણે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા હેન્ડલર X પર ટ્રેડ એનાલિસ્ટ શ્રીધર પિલ્લઈએ ફિલ્મ નિર્માતાના નિધનની માહિતી આપતા લખ્યું કે, “પી.વી. ગંગાધરન (80) પીઢ મલયાલમ ફિલ્મ નિર્માતા, KTC ગ્રુપના સ્થાપકોમાંના એક અને માતૃભૂમિના બોર્ડ સભ્યનું કોઝિકોડમાં નિધન થયું છે. PVG, જેમ તેમને કહેવામાં આવતું હતું, તેમણે ગૃહલક્ષ્મી પ્રોડક્શન્સ હેઠળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને રાજ્ય અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. ફિલ્મ નિર્માતા કેટી કુંજુમને પણ તેના X હેન્ડલ પર શેર કરતા લખ્યુ કે, “મારા સૌથી પ્રિય મિત્ર, પીઢ નિર્માતા શ્રી પી.વી. ગંગાધરનના દુ:ખદ અવસાન વિશે સાંભળીને ઊંડો આઘાત લાગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News