Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી, ઘટનાથી પરિવાર શોકની લાગણી છવાઈ

  • September 11, 2024 

બોલિવૂડ જગતમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. 'મુન્ની' તરીકે જાણીતી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ છે. એટલું જ નહીં, આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા ફિલ્મ ઉદ્યોગ પણ શોકમાં ગરકાવ છે.


આ દરમિયાન મુંબઈ પોલીસે મલાઈકા અરોરાના ઘરે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મલાઈકાનો એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો હતો. અરબાઝ ખાન અને મલાઈકા ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ઘટના વખતે મલાઈકા પૂણેમાં હતી. આ આઘાતજનક સમાચાર મળતાં જ તે વહેલી સવારે મુંબઈ જવા રવાના થઈ હતી. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનો જન્મ પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પંજાબ સરહદે આવેલા ફાઝિલ્કા જિલ્લાનો વતની છે. તેમણે ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરી કરી હતી. તેમણે મલયાલમ ખ્રિસ્તી પરિવારની યુવતી જોયસ પોલીકોર્પ સાથે લગ્ન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News