Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા: બીમારીથી કંટાળી જતા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત

  • December 28, 2020 

સુરત જીલ્લાના મહુવા તાલુકાનાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ વિનોદભાઈ ચૌધરી જે છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા તેવું તેમના ઘર વાળા તરફથી જાણવા મળ્યું હતું.

 

 

કોન્સ્ટેબલ આશીષભાઈ ચૌધરીએ બિમારીથી કંટાળી પુણા ગામના ખેતરમાં જઈ આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. મહુવા પોલીસે આશિષભાઈનો મૃતદેહને કબ્જો લઈ વલવાડા પોસ્ટમોડમ રૂમ ખાતે મોકલી આપી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવયુવાન આશિષભાઈએ આત્મહત્યા કરતા સાથી સ્ટાફમાં ગમગીન છવાય ગઈ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application