Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગર ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

  • March 11, 2023 

વ્યારા ખાતે આજરોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડની 160મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી, મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને ફૂલહાર કરી વંદન કરવામાં આવ્યું હતું, આ ઉજવણી દરમિયાન નગરના માનિતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,જોકે નગર પાલિકા પ્રમુખ,ચેરમેન,કારોબારી અધ્યક્ષ તેમજ સંગઠન પ્રમુખ અને મંત્રી સહિતના કેટલાક કહેવાતા આગેવાનો ગેરહાજર રહ્યા હતા.


વડોદરા સ્ટેટ ગાયકવાડી રાજના મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની 160મી જન્મ જયંતી વ્યારા નગરના પ્રવેશ દ્વાર જ્યાં મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે ત્યાં આજરોજ વ્યારા નગરના ગણ માન્ય નાગરિકો શિક્ષક ગણ નગરપાલિકાના સભ્યશ્રીઓ સામાજિક આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહી તેમની પ્રતિમાને અર્પણ કરી પુષ્પગુચ્છ ચડાવી તેમને પ્રણામ વંદન કરી જન્મ જયંતીની ઉજવણી કરી હતી.

             

આ કાર્યક્રમમાં મહેશભાઈ પટેલ, સંજયભાઈ સોની, હેમંતભાઈ તરસાડીયા, ચંદ્રકાંત પ્રજાપતિ, સંજયભાઈ રાણા, વિનોદભાઈ મિશ્રા, વિશાલભાઈ ગામીત, રમેશભાઈ સોની, આત્મભાઈ વાઘમારે, હસમુખભાઈ પરમાર વિગેરે લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application