Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં દિક્ષલ ખાતે લકઝરી બસને નડ્યો અકસ્માત : એકનું મોત, 14 યાત્રીઓ ઈજાગ્રસ્ત

  • March 15, 2023 

અમદાવાદથી નાસિક જતી ખાનગી લકઝરી બસ કપરાડાનાં દિક્ષલ ખાતે ઘાટમાં પલટી ખાઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતમાં 14 યાત્રીઓને નાની મોટી ઈજાઓ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને કપરાડાં અને ધરમપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે આ અકસ્માતમાં એક યાત્રીનું મોત થયું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યાત્રીઓનાં નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદથી એક ખાનગી લકઝરી બસ યાત્રીઓને લઈને નાસિક જઈ રહી હતી.








કપરાડાંના દિક્ષલ ખાતે આવેલા ઘાટ પાસે અચાનક બસ પલટી ગઈ હતી અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ખાનગી લકઝરી બસમાંથી યાત્રીઓને અલગ રાખી ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા 14 જેટલા યાત્રીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.






તેમજ 108ની ટીમે અન્ય જગ્યાઓથી પણ 108 બોલાવી ઘાયલોને ધરમપુર અને કપરાડાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. આ દુર્ઘટનામાં વડોદરાનાં વાઘોડિયાના 42 વર્ષીય પ્રકાશ પરમાર નામના યાત્રીનું મોત થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઘટના અંગે કપરાડાં પોલીસે અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે. દુર્ઘટનામાં 14 ઈજાગ્રસ્ત યાત્રીઓ પૈકી મોટી સંખ્યામાં ઘાયલોને સામાન્ય ઈજાઓ થતા પ્રાથમિક સારવાર આપીને દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application