Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમી પંખીડાંએ કરી આત્મહત્યા : અગમ્ય કારણસર ઝાડ સાથે ઓઢણી બાંધી જીવન ટુંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

  • October 03, 2022 

સુરતનાં મહુવા તાલુકાનાં પરિણીત અને લીવ-ઇનમાં રહેતા પ્રેમી પંખીડાંએ આત્મહત્યા કરતા પથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં વહેવલ ગામની પરિણીત 23 વર્ષીય યુવતી અને વલવાડા ગામનો 33 વર્ષીય પરિણીત યુવાન 2 વર્ષ પહેલાં પ્રેમ સંબંધમાં ભાગી ગયા હતા. ત્યારબાદમાં મોડી રાત્રે બંનેએ કોઈક અગમ્ય કારણોસર વલવાડા ખાતે ઝાડ સાથે ઓઢણી બાંધી જીવન ટુંકાવ્યું હતું. બનાવની વિગત એવી છે કે, મહુવા તાલુકામાં પ્રેમી પંખીડાઓએ પ્રેમનો અંત ગળેફાંસો ખાઈને આણ્યો હતો.




જોકે બંને પ્રેમી પંખીડાઓ પરિણીત હોવાનું સામે આવ્યું હતું. મહુવા તાલુકાના વહેવલ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીએ અમદાવાદનાં યુવક સાથે લગ્ન કર્યા હતાં. લગ્નનાં એક જ મહિનામાં જ યુવતી પરત ઘરે આવી ગઈ હતી. તો બીજી તરફ વલવાડા ગામે રહેતા 33 વર્ષીય પરિણીત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંન્ને પ્રેમી પંખીડાં બે વર્ષ પહેલાં મહુવાથી ઘર પરિવાર છોડી ભાગી ગયા હતા.




જયારે અચાનક જ વહેલી સવારે વલવાડા ગામે ગામતળ ફળિયામાં અંકોલાનાં ઝાડ ઉપર બંનેની ઓઢણી પર લટકતી હાલતમાં મૃતદેહો મળી આવતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે બંનેએ કયા કારણોસર આ પગલું ભર્યું છે, તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application