Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમ લગ્ન કરેલ હિન્દુ પરિણીતાને મુસ્લિમ પતિનો ત્રાસ: મારપીટ કરતો, અંતે થાકી પોલીસ ફરિયાદ નોંધાવી

  • December 26, 2022 

હિન્દુ મહિલાએ મુસ્લિમ વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા લગ્નને થોડા દિવસ બાદ જ સાસુ હેરાન કરવા લાગ્યા હતા અને પતિને ચડામણી કરતા તેથી પતિ પણ તેને મારપીટ કરતો અને હેરાન કરતો તેનો દેર પણ તેને ખાવા બાબતે હેરાન કર્યો અને પરિણીત મહિલાની નાની પુત્રીને પણ મારી લેતો જેથી કંટાળી અંતે પરિણિતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી.




જીવરાજપાર્ક પાસેની સિતાજી ટાઉનશિપમાં ધર્મના ભાઇના ઘરે રહેતી નિકિતાબેન (ઉ.વ.28)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવલનગરમાં રહેતા પતિ અવજીલ નશરૂદીન જસાણી,સાસુ મુમતાજ જસાણી અને દિયર નવજીલ જસાણીના નામ આપ્યા હતા.નિકીતાબેને પોલીસને જણાવ્યું કે, 2015 ની સાલમાં તેણે અવજીલ સાથે લવમેરેજ કર્યા હતા. જેના ફળ સ્વરૂપ સંતાનમાં એક પુત્રીની પ્રાપ્તી થઈ હતી. લગ્નના અઠવાડીયા બાદથી સાસુ તેના પતિને તે કંઈ કામકાજ કરતી નથી કહી ચઢામણી કરતા હતા. તે ઘરની કોઈ વસ્તુ ઉપયોગ કરે તો તું કંઈ કરીયાવરમાં નથી લાવી કહી મેણા- ટોણા મારી મારકુટ કરતા હતા.




ઝઘડાઓ થાય ત્યારે સાસુ તેને દીકરીને લઈ ઘરમાંથી નિકળી જવાનું કહેતા હતા. પતિ રોજ રાત્રે દારૂ પી ઘરે આવી જેમ ફાવે બોલતો હતો અને સાસુની ચઢામણીમાં આવી તેને માર મારતો હતો. અગાઉ તે જયાં પ્રાઈવેટ નોકરી કરતી હતી ત્યાં તેનો પતિ અન્ય પુરૂષો સાથે તેનું નામ જોડી બદનામ કરતો હતો. એટલું જ નહી તેને કય જવા-આવવા દેતો ન હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા છે. તેણે પ્રેમલગ્ન કર્યા હોવાથી માતા- પિતા તેની સાથે બોલતા ન હોવાથી પતિ તેને વધુ હેરાન કરતો હતો.




તેમજ પતિ તારે સત્તર સાથે સંબંધ છે કહી તેને સંભાળાવતો હતો. તેનો ધર્મ હિન્દુ હોય અને પતિ ઈસ્માઈલી ખોજા હોય પતિ તેને જમાતખાતે જવા માટે દબાણ કરતો હતો. જેના કારણે તે એક-બે વખત જમાતખાતે ગઈ હતી. પરંતુ ત્યા તેને અંદર જવા ન દેતા તે જમાતખાતે જતી ન હતી. જેના કારણે પતિ ઝઘડાઓ કરવા લાગતો હતો. તેમજ પતિ અને સાસુ તેની સાથે બોલવાનું બંધ કરી દેતા હતા. એટલુ જ નહી પતિ અને સાસું તેને ધર્મપરીવર્તન માટે દબાણ કરતા હતા. તે નોનવેજ ખાતી ન હોય અને તેની જાણ હોવા છતાં તેને નોનવેજ બનાવવાનું કહેતા હતા.



એકાદ વર્ષ પહેલા દંપતી વચ્ચે ઝઘડો થતા તે ઘરની બહાર નિકળવાનું કહેતા પતિએ ઘરની બહાર નિકળીશ તો મારી નાખીશ કહીને ધમકાવતો હતો. દીયર પણ દારૂ પી આવીને જમવા બાબતે ઝઘડા કરતો હતો અને નાના મોટાની મર્યાદા નહી જાણી તેની પુત્રી પર હાથ ઉપાડી લેતો હતો. તે સુતી હોય ત્યારે હેરાન કરવા તેનો રૂમનો દરવાજો ખટખટાવી હેરાન કરતો હતો. આ ત્રાસથી કંટાળી તે તેના ધર્મના ભાઈ વિનોદભાઈના ઘરે પુત્રીને લઈ પતિને જાણ કર્યા વગર ચાલી ગઈ હતી.અને પતિ સાથે સમાધાન કરવું ન હોવાથી અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application