વાપી નજીકનાં કોપરલી ગામે શનિવારે રાતે ત્રાટકેલા તસ્કરો ત્રણ બંધ મકાનને નિશાન બનાવી દાગીના ચોરી ગયા હતા. આ ઘટના અંગે માલિકે હજી પોલીસને જાણકારી આપી છે. કોપરલી ગામે તળાવની સામે આવેલા ઠાકોરભાઈ પરસોત્તમ ભાઈ પ્રજાપતિના બંધ ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. જ્યાં રહેતો પરિવાર સમાજિક પ્રસંગે મોટાપોંઢા ગયો હતો તેથી તેનું ઘર બંધ હતું.
ચોરોએ ઘરના આગળનાં દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશી કબાટમાંથી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી હતી. જયારે એક ઘર છોડી અન્ય બીજા પ્રવીણભાઈ દુર્લભભાઈના ઘરમાંથી પણ રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયા હતા. આ ઉપરાંત કોપરલી શિવ મંદિર નજીક રોડ પર રહેતા વિનોદભાઈ પંચાલના બંધ ઘરના પણ તાળા તૂટયા હતા. જો કે, ત્યાંથી તસ્કરો શું લઈ ગયા તે હજી બહાર આવ્યું નથી. પરંતુ એકસાથે ત્રણ ઘરનાં તાળા તૂટવાની ઘટનાથી ગામજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application