Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરનાં પાલજમાં એક સાથે ચાર બંગલાનાં તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ

  • August 07, 2023 

ગાંધીનગરમાં પાલજમાં તસ્કરોએ ચાર બંગલાનાં તાળા તોડયાં છે. ચિલોડા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદ પ્રમાણે તસ્કરો ચાર પૈકીનાં બે બંગલામાંથી મળીને ચાર લાખની લઈ ફરાર થઈ ગયા હતા. જોકે તસ્કરોએ જીત પ્લોટિંગ નામની સ્કીમમાં ત્રણ બંગલાના તાળાં તોડી  એકમાંથી અને શ્રીધર બંગ્લોઝ સ્કીમમાં એક મકાનના તાળા તોડી તેમાંથી 7 તોલા જેટલા વજનનાં  દાગીના ચોરી લીધા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાલજ ગામ વિસ્તારમાં શ્રીધર બંગ્લોઝ નામની સ્કીમમાં 27 નંબરનાં બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યુ હતું. અહીં રહેતા દંપતિ દ્વારા લગ્ન તીથિ નિમિતે સોનાનાં ઘરેણા ખરીદવામાં આવ્યા હતાં અને લગ્ન તીથિ નિમિતે તેઓ બહાર ગયા હતાં.



તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં હાથ અજમાવીને 7 તોલાના સોનાના દાગીના અને રૂપિયા ૪૦ હજારની રોકડ રકમની ચોરી કરી હતી. જ્યારે બાજુમાં આવેલી જીત પ્લોટિંગ નામની સ્કીમમાં તસ્કરોએ બંગલા નંબર 16થી 18માં પણ દરવાજાના તાળા તોડયા હતાં. જેમાં બંગલા નંબર 17માં રહેતા રાજુભાઇ ચાવડાના ઘરમાંથી રૂપિયા એક લાખની કિંમતની મતા ચોરાઇ હતી. ગાંધીનગરનાં અર્બન વિસ્તારમાં બનેલા આ બનાવના પગલે નવી સોસાયટીઓમાં એકલ દોકલ મકાનોમાં રહેનારા રીતસર ફફડી ઉઠયા છે. પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application