Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં ‘આઝાદીકા અમૃત મહોત્સ’ નિમિત્તે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

  • October 19, 2021 

ભરૂચમાં તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા લોકોનું જન જાગૃતિ અભિયાન સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પુરા થયા પ્રસંગે હાલમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે બાબતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભરૂચના નિર્દેર્ગાનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ ભરૂચના ઉપક્રમે ભરૂચ તાલુકાના તમામ ગામોમાં તા.2જી ઓક્ટોબરથી 17મી ઓક્ટોબર સુધી કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેનલ એડવોકેટ પી.એલ.વી તથા અન્ય વિષય વિશારદ વ્યક્તિઓ દ્વારા પેમ્પલેટનું વિતરણની સાથે સામાન્ય જનતાને કાયદા તથા લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ હેઠળ રચાયેલ ઉપરોક્ત જણાવેલી સંસ્થાના કાર્યો તથા કાયદો સામાન્ય જન સુધી પહોંચે, સામાન્ય લોકોમાં કાયદા વિશે જાગૃતિ ફેલાય અને ગરીબ તથા પછાત વર્ગના લોકો કાયદાની સમજ મેળવે, અન્ય સરકારી લાભો વિશે જાણકારી મેળવે, સમજે અને તેઓને સામાન્ય વ્યવહારમાં કાયદો કઈ રીતે ઉપયોગી થઈ શકે કરી શકે તેના વિશે શીબીરોમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application