Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારણપુરની નેસૂ નદીમાં બારેમાસ થઇ રહેલ રેતીખનનથી લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી,સ્થળ તપાસ જરૂરી

  • August 29, 2020 

ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાંથી વહેતી નેસૂ નદીમાં બારેમાસ થઇ રહેલ રેતીખનનથી દરરોજ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી થઇ રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. 

 

રેતી ઉલેચનારાઓ દ્ધારા ખનિજ સંપત્તિ પર છડેઆમ તરાપ મારતા હોય તેમ લોકોના હિતને પણ ધ્યાનમાં લીધા વિના નદીનો એકમાત્ર વર્ષો જૂનો નેસુ પુલના પાયાને લગોલગથી રેતી ઉલેચવામાં આવી રહી છે.

 

જો પુલની નજીકથી રેતી ઉલેચાઇ જશે તો ભવિષ્યમાં પુલના પાયા નબળા થવાથી ખતરાના મંડાણ થઇ શકે છે. નદી પરના પુલ પરથી સીધા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના વાહનોની ધણધણાટી સતત રહે છે, અતિ ઉપયોગી પુલને ધ્વસ્ત કરવાના ઇરાદાપૂર્વક જેના પાયા નજીકથી રેતી બેરોકટોક ઉલેચાઇ રહી છે,

 

પુલની નજીક જ મોટી નવડીઓ ફરતા નજરે પડી રહી છે. પુલ નબળો થવાથી ધરાશયી થાય તો મોટી જાનહાનિ થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી.

 

જોકે આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ ખૂબ સારી રીતે વાકેફ હોવાછતાં કઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તે એક ચર્ચાનો વિષય બન્યો છે,ત્યારે જિલ્લા કલેકટર શ્રી આ બાબતને ગંભીરતા લઈ સ્થળ તપાસના  આદેશ આપે તે જરૂરી બન્યુ છે.

તસ્વીરમાં આપ જોઈ શકો  છો બે રોકટોક હાલમાં પણ કઈ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application