Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : ચાર લોકોનાં મોત, એક ઘાયલ

  • October 22, 2022 

ઉત્તરાખંડમાં ફરી એકવાર પહાડમાં તિરાડ પડી છે, જેના કારણે આજરોજ મોટી દુર્ઘટના થઈ છે. જેમાં ચમોલી જિલ્લાનાં થરાલી ખાતે ત્રણ મકાનો ભૂસ્ખલનથી અથડાઈ હતી, જેમાં ચાર લોકોનાં મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. જયારે અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ઘટના અંગે થરાલીના ઉપકલેક્ટર રવિન્દ્ર સિંહ જુવાથાએ જણાવ્યું હતું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. હાલમાં, વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. જોકે ગયા મહિને હિમાચલ પ્રદેશનાં સિરમૌર જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. ભૂસ્ખલનને પગલે મકાન ધરાશાયી થતાં ત્રણ સગીર સહિત એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. તેઓ ઘરની અંદર સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application