Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કચ્છમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયું, ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

  • May 17, 2023 

કચ્છમાં મોડી રાત્રે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઇ હતી. જયારે ગતરોજ આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 39 કિલોમીટર દૂર નોંધાયુ હતું. જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ ભૂકંપને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. કચ્છમાં ગતરોજ મોડી રાત્રે અંદાજે 1 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. રાત્રીના સમયે અચાનક ભૂકંપના આચકો આવતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.




તેમજ ભૂકંપને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2ની નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી દૂર નોંધાયું છે. આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. આ અગાઉ પણ કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા નજીક હોવાનું નોંધાયું હતું. આ ભૂકંપની તીવ્રતા 2.7 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી.




આ ઉપરાંત 28મી એપ્રિલે બનાસકાઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. બનાસકાંઠાના ડીસા, પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠામાં ગત તા.28 એપ્રિલે અનુભવાયેલા ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ હતી. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application