Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળ : 5 દિવસ માટે આજથી સબરીમાલા મંદિર ખુલ્યું, શ્રદ્ધાળુઓએ દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરવું પડશે

  • July 17, 2021 

કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર આજથી એટલે કે 17મી જુલાઈથી 5 દિવસ માટે ખોલી દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન દરરોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઈન બુકિંગ કરવું પડશે. આ મંદિર 21 જુલાઈ સુધી ખુલ્લુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખુલ્યું છે. 

 

 

 

 

પરંતુ જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમને કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ આપવું પડશે અથવા 48 કલાક પહેલા સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ આપવો પડશે. 

 

 

 

 

શ્રદ્ધાળુઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે કોરોનાની બીજી લહેર ભલે અટકી ગઈ હોય પરંતુ શ્રદ્ધાળુઓએ મંદિર પરિસરમાં ગાઈડ-લાઈનનું પાલન કરવું પડશે. મહામારીને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કરવા માટે આકરા નિયમોનું પાલન કરવું પડશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application