Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો : ધાકધમકી ભર્યા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરણી માનવામાં આવશે નહીં

  • May 05, 2024 

માત્ર ધાકધમકી ભર્યા શબ્દોને આત્મહત્યા માટે ઉશ્કેરણી માનવામાં આવશે નહીં તેમ કર્ણાટક હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે. આ કેસ ઉડુપી જિલ્લામાં એક ચર્ચના પાદરીની આત્મહત્યા સાથે સંકળાયેલો છે. પાદરી અને અરજકર્તાની પત્ની વચ્ચે સંબધો હતાં અને આ મુદ્દે જ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. બચાવ પક્ષના વકીલે જણાવ્યું હતું કે આ ટિપ્પણી કથિત સંબધોની જાણ થઇ જવા પર વ્યથિત થઇને કરવામાં આવી હતી. પાદરીએ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય એટલા માટે લીધો કારણ કે અન્ય લોકોને આ સંબધોની જાણ થઇ ગઇ હતી. બીજા પક્ષના વકીલે જણાવ્યું હતું કે, પાદરીએ આત્મહત્યા એટલા માટે કરી કારણ કે આરોપીએ ધમકી આપી હતી કે તે આ સંબધોની જાણ અન્ય લોકોને પણ કરી દેશે.


જોકે સિંગલ ન્યાયમૂર્તિની ખંડપીઠે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોના આધારે એ વાત પર ભાર આપ્યો કે ફક્ત આવા નિવેદનોને આત્મહત્યા માટે ઉશ્કેરણી માનવામાં આવશે નહીં. કોર્ટે પાદરીની આત્મહત્યા માટે અનેક કારણોને જવાબદાર ઠેરવ્યા હતાં. જે પૈકીનુ એક કારણ એ હતું કે એક પિતા અને પાદરી હોવા છતાં તેમના અન્ય સ્ત્રી સાથે સંબધો હતાં. કોર્ટે અરજકર્તા વિરુદ્ધની કાર્યવાહી રદ કરી દીધી હતી અને અરજકર્તાના નિવેદનને આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણવાનો ઇનકાર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application