Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વ પ્રવાસન દિવસે કામરેજના ગલ્તેશ્વર મંદિર તથા ગાયપગલા મંદિરની સફાઈ કરવામાં આવી

  • September 29, 2023 

ભારત સરકારના સ્વચછ્ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ વિશ્વ પર્યટન દિવસે જિલ્લાના પ્રવાસન સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ખાતે ગાયપગલા મંદિર પરિસરની અંદર, બહાર, મુખ્ય રોડ તથા સર્વિસ રોડની ગ્રામ પંચાયત ધોરણપારડી દ્વારા સાફ-સફાઇ કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત કામરેજના ટીમ્બા ગામે આવેલ ગલ્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ તથા મુખ્ય રોડ ખાતે ગ્રામ પંચાયત ટીમ્બા દ્વારા સાફ-સફાઇ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application