Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિચોડા અને શેલુ ગામના જોબકાર્ડ ધારકોની મનરેગા હેઠળ રોજગારી આપવા માંગ

  • February 06, 2025 

નિઝર તાલુકાના સરવાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચિચોડા અને શેલુ ગામના જોબકાર્ડ ધારકોને કામ ન મળતા તેઓની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. ઘર ચલાવવા નાણાંકીય જરૂરિયાત રહેતા બંને ગામના ૬૦ જોબ ધારકોએ મનરેગા યોજના હેઠળ ગમે તે કામો કરવા તત્પરતા દર્શાવી ગ્રામ પંચાયત નિઝર તાલુકાના સરવાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ચિચોડા અને શેલુ ગામે મનરેગાના જોબકાર્ડ ધારકોને કામ ન મળતા ઘરની હાલત કફોડી બની છે. તા.૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ગ્રામ પંચાયતમાં રજુઆત કરી કુલ ૬૦ જોબ કાર્ડ ધારકોએ રોજગારની માંગ કરી હતી.


જોકે તંત્ર તરફથી કોઈ કાયર્વાહી ન થતા કામ વિહોણ મજૂરો મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી ફરી જોબકાર્ડ ધારક મહિલાઓ દ્વારા નિઝર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં લેખિત રજુઆત કરી કામની માંગણી કરી છે. તેમણે આપેલા આવેદનમાં બરોજગાર થયા હોવાથી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ ૨૦૦૫ હેઠળ રસ્તા, ચેકડેમ, જમીન લેવલીંગ સહિતના કામો કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. ગ્રામપંચાયતમાં રજુઆત કર્યાને ૨૧ દિવસ થયા છે તેમ છતાં કોઈ કામ પંચાયતે આપ્યું નથી. કાયદા મુજબ કામની માંગણી કર્યા પછી ૧૫ દિવસ સુધીમાં કામ આપવાની જોગવાઈ છે. તેમ છતાં આજ દિન સુધી કામ મળ્યું નથી. જેથી મનરેગા યોજના હેઠળ બેરોજગારી ભથ્થુ આપવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application