ભરૂચનાં શકિતનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ ૧.૧૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, મુળ અમદાવાદ અને હાલ ભરૂચના શકિતનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અને ભરૂચ જિલ્લા પોલીસમાં પી.એસ.આઈ. તરીકે નોકરી કરતા સંગીતાબેન તેજાભાઈ દેસાઈ ગત તારીખ ૧૦મી માર્ચથી હોળી-ધૂળેટીનો તહેવાર પુર્ણ નહિ થાય ત્યાં સુધી ડાકોર રણછોડજી મંદિરે બંદોબસ્તમાં હતા. તે દરમિયાન રાત્રે ૧ કલાકથી સવારે ૯ કલાક સુધી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ. જોકે તસ્કરોએ મકાનનાં મુખ્ય દરવાજાનાં લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા ૧૫ હજાર મળી કુલ ૧.૧૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ શહેર એ. ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application