Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ શો’ના એક એપિસોડમાં આદિવાસી સમાજ પર આપતિજનક ટિપ્પણી પર માંગી માફી

  • October 27, 2023 

ફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ શો સતત વિવાદોમાં પણ આવતો રહે છે. ઘણી વખત શોના સ્ટાર્સની કોઈ ટિપ્પણી બાબતે અથવા તો કોઈ એવા સીનના કારણે સતત કોઈને કોઈ વિવાદો થતા જ રહે છે. એવા જ એક વિવાદના કારણે શોના જાણીતા સ્ટાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પણ એક વિવાદિત ટિપ્પણી પર માફી માંગવી પડી હતી. આ શોના એક એપિસોડમાં જેઠાલાલે આદિવાસી સમાજ પર આપતિજનક ટિપ્પણી કરી હતી.



જેના કારણે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. આ ટિપ્પણીનના કરને આદિવાસી સમાજ દ્વારા જેઠાલાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જેના પછી જેઠાલાલનો માફી માંગતો વિડીયો જાહેર થયો હતો. ગણપતી ઉત્સવ દરમ્યાન શોમાં તેમના એક ડાયલોગમાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી, જેમાં તેમને માફી માંગતા કહ્યું કે, મારા દિલમાં માત્ર આદિવાસી સમાજ જ નહિ પરંતુ કોઈપણ જાતી, સમાજ કે જ્ઞાતિ માટે કોઈ એવી વાત નથી કે અમે તેમની મજાક ઉડાવીએ, તેમ છતાં પણ આમારથી તમને કોઈ ઠેસ પહોચી હોય તો આ બાબતે હું માફી માંગું છું. તમે પણ મોટું મન રાખીને અમને માફ કરી દો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application