Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

  • May 23, 2024 

દેશની રાજધાનું દિલ્હી ખાતે નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ)ની ચૂંટણી યોજાઇ હતી. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ 5 ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા પણ બિનહરીફ બન્યા હતા. જે બાદ દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે. મહત્વનું છે કે, જેઠાભાઈ ભરવાડની નાફેડનાચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતીના ફેડની ચૂંટણી 21 મેના રોજ દિલ્લીમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.


મહત્વનું છે કે, ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી. જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલસિંહની પેનલ વચ્ચે સહમતી બની હતી. નોંધનિય છે કે, નાફેડમાં કુલ 21 ડિરેક્ટરોચેરમેન અને વાઇસચેરમેન નક્કી કરતા હોય છે. જોકે જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલસિંહની પેનલ વચ્ચે સહમતી બનતા નાફેડનાચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતમાંથી જેઠા ભરવાડ અને મોહન કુંડારિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ થયા હતા.અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોનાચેરમેન તરીકે દિલીપસંઘાણીબિનહરીફચૂંટાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application