Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જલારામબાપા આ પટેલના ઘરે રોકાતા હતા,પોતાની લાકડી પ્રસાદીમાં આપી કહેલું કે આ લાકડી તમારા રસોડામાં રાખજો, વિગતવાર જાણો

  • October 31, 2022 

પુ.જલારામ બાપાની જન્મ જયંતિ છે ત્યારે વડીયા તાલુકાના ખજુરી પીપળીયામા હજુ પણ પટેલ પરિવારના ઘરે જલારામ બાપાની લાકડી સચવાયેલ છે. આ પરિવારે ઘરમા જ લાકડીની પ્રસાદીનુ મંદિર બનાવાયુ છે. ખજૂરી પીપળીયા ગામે જલારામ બાપાની યાદો આજે પણ જીવંત છે. અહી આજે પણ ચાલીને જતા યાત્રિકો ખજુરી પીપળીયા ગામે લાકડીના દર્શન માટે જાય છે. અહી વસવાટ કરતા પટેલ પરિવારને ત્યાં જલારામ બાપાની લાકડી આજે પણ પુજાય છે. પ્રકાશભાઈ મનસુખભાઇ પટેલના ઘરે લાકડીની પ્રસાદીનુ મંદિર બનાવાયુ છે.



ભૂતકાળમાં જલારામ બાપા તેમના ગુરુજી ભોજલરામબાપાને ત્યાં ફતેપુર ગામે જતા ત્યારે આ ખજુરી પીપળીયા ગામમાં રોકાતા હતા.આ ગામનું નામ પહેલા ઠક્કર પીપળીયા તરીકે જાણીતું હતુ. ત્યા લોહાણા સમાજના લોકો વસવાટ કરતા હતા.પટેલ પરિવારની ચોથી પેઢીએ રામજીબાપા સત્સંગી હતા. તેથી ગામના રામજી મંદિર પર જલારામ બાપા સાથે મુલાકાત થઈ હતી. ત્યારથી જલારામબાપા આ રામજીભાઈ પટેલના ઘરે રોકાતા હતા. તેમની વાડીએ સ્નાન કરી બાજરાના રોટલા અને અડદની દાળનુ ભોજન લેતા હતા.એક વખત જલારામ બાપા આ પરિવારના ઘરે આવ્યા ત્યારે તેમના ઘરે ભોજન કરતાં જણાવ્યું હતું કે દુજાણુ નથી.




પટેલ પરિવારને પૂછેલું કે કેમ આટલા પશુ હોવા છતાં દુજાણું નથી ? ત્યારે જલારામ બાપાએ આ પરિવારને પોતાની લાકડી પ્રસાદીમાં આપી કહેલું કે આ લાકડી તમારા રસોડામાં રાખજો,ક્યારેય દુજાણું અને ભંડાર ખૂટશે નહિ. ત્યારથી જલારામ બાપાની લાકડી આ પરિવાર પાસે પ્રસાદી રૂપમાં છે.પટેલ પરિવાર ભાવિકોની લાકડીના દર્શન કરાવે છેઆજે પણ આ લાકડીનુ મંદિર હયાત છે. પટેલ પરિવાર દર્શનાર્થીઓને લાકડી બહાર કાઢી દર્શન કરાવે છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application