Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં મોબાઇલ ટાવરની કામગીરી બંધ કરવા રજૂઆત કરાઈ

  • January 12, 2023 

વ્યારા નગરના વોર્ડ નંબર 6 માં આવેલા ઉનાઈ રોડ વિસ્તારમાં વિશ્વકર્મા મંદિરની સામે એન.પી.જે.  કોમ્પ્લેક્સના ઉપર સ્થાનિક રહીશોને જાણ કર્યા વગર કે તંત્રની મંજૂરી મેળવ્યા વગર રિલાયન્સ જીઓ કંપનીનું મોબાઇલ ટાવર મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.



મોબાઇલ ટાવરમાંથી નીકળતા રેડિયશનથી સ્થાનિકોને ભવિષ્યમાં કોઈ ગંભીર પ્રકારની બીમારી થવાની દહેશત રહેતા, ટાવર મુકવા સામે સ્થાનિકો દ્વારા વિરોધનો સુર ઉભો થયો છે. સાથે ચોમાસાની ઋતુમાં ભારે પવન ફુંકાવાથી પણ ટાવર પાડવાની દહેશત વ્યક્ત કરાઈ છે. જેને પગલે સોમવાર નારોજ વોર્ડ નંબર 5 ના નગર પાલિકાના સભ્ય પરેશ શાહ અને રાકેશ ચૌધરીએ સ્થાનિક વિસ્તારના રહેવાસીઓને સાથે લઇ નગર પાલિકામાં પ્રમુખને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી મોબાઇલ ટાવર મુકવાની કામગીરી બંધ કરવાની માંગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application